બૃહદેશ્વર મંદિર તાંજોર(થુંજાવુર) (તમિલનાડુ )
બૃહદેશ્વર મંદિર
તંજાવુર નામ હિન્દૂ પૌંરાણિક કથાના તંજાન નામના અસુરના નામ પરથી આવ્યું હોય તેવું માનવામાં આવે છે. જેને હિન્દૂ દેવતા વિષ્નુદ્વારા આ સ્થળ પર મારી નાખવામાં આવ્યો હતો. તેવું માનવામાં આવે છે.
તામિલનાડુના તાંજોરમાં આ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈસ. 1003થી ઈસ.1010ના સમય ગાળામાં થયું હતુ. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે છે.
આ મંદિર ચોલ વંશં ના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું તેથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200ફૂટ ઉંચુ છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખર વાળા મંદિરમાં સ્થાન પામતું દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના મંદિરોમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
No comments:
Post a Comment